દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન જરૂરી
મનુષ્યનો જેવો દ્રષ્ટિકોણ હોય છે, તે બીજાઓ પ્રત્યે જેવું વિચારે છે, તે પ્રમાણે તેના વિચાર હોય છે અને એના ફળ સ્વરૂપે એવું જ વાતાવરણ અને પરિસ્થિતિઓ પ્રાપ્ત કરી લે છે. બીજાનું દોષ દર્શન કરનારી વ્યક્તિ જયાં ૫ણ જાય છે, તેને સારું નજર જ આવતું નથી અને લોકો સાથે બનતું નથી. બધાને સારી નજરે જોવાથી સરળ સાત્ત્વિક સ્વભાવના લોકોને બધી જ જગ્યાએ સારું જ નજરમાં આવે છે. બૂરાઈમાં ૫ણ તે ઊંચા આદર્શનું દર્શન કરે છે. વાસ્તવમાં જે વ્યક્તિની પોતાની ભીતરમાં બૂરાઈ રહ્યા કરે છે, તેને સમગ્ર સંસાર ખરાબ જ જણાતો હોય છે. મનુષ્ય પોતાના સારા-ખરાબ દૃષ્ટિકોણ ને બાહ્ય ૫રિસ્થિતિઓ ઉ૫ર આરોપિત કરીને તેવું જ જુએ છે. મનુષ્ય પોતે જેવો હશે, તેવો જ બહારથી દેખાશે.
સુંદર વિચારો કાંતીભાઈ કરશાળા ના બ્લોગ પરથી આગળ વાંચો…
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો