લગ્ન સમારંભ – ગુજરાતી ઓ ના અને અન્ય જ્ઞાતી ના………………
થોડા સમય પહેલા એક મિત્ર ની લગ્ન ની કંકોત્રી મળી એમા લખ્યુ હતુ આપ શ્રી , હુ તો સમજી ગયો કે આમંત્રણ મને એકલાને છે અને મને અજુગતુ પણ ન લાગ્યુ કારણ કે આપણા ગુજરાતી ઓ મા આ બાબત સમાન્ય છે. પરંતુ અમારા ફ્રેન્ડ સર્કલ મા ઘણા ફ્રેન્ડ્સ છે જે ગુજરાતી નથી તેમને આ બાબત જરા અજુગતી લાગી. ત્યારે મે એમને સમજાવ્યુ કે ખરી બાબત એમ છે કે હોસ્ટ ( યજમાન ) વધારે ને વધારે કુટુંબ ને આમંત્રીત કરી શકે માટે આ વ્યવસ્થા છે. અને તેઓ સમજી પણ ગયા.
પરંતુ એમને અને મને પણ આઘાત ત્યારે લાગ્યો કે અમે જ્યારે જમણ્વાર મા જે ભપકો જોયો અને જે પ્રમાણે જમણવાર હતો તેના પર થી અમ્દાજ આવતો હતો કે એક વ્યકતી નિ ડીશ પાછળ ઓછા મા ઓછો ખરચ ૭૦૦ થી ૮૦૦ રુપીયા નો હશે. ત્યારે મને મારા મિત્રો કહેઅવા લગ્યા કે યાર તુમ તો ક્યા બોલ રહે થે કી ખરચ બચાને કે લિયે એક જન કો ઈન્વાઈટ કિયા જાતા હે પર યહા તો એક ડિશ પર ૭૦૦ સે ૮૦૦ કા ખરચા હે ઔર જિસ હિસાબ સે ડેકોરશન કિયા હે ઉસ હિસાબ સે તો બહોત ખર્ચા હુઆ રહેગા ?
અને મને પણ વાત સાચી લાગી કે જ્યારે આટલો ખરચ કર્યો છે તો તેઓ સહ કુટંબ પણ આમત્રીત કરી શક્યા હોત અને જે ખરચ ડીશ ના અને ભપકા પાછળ કર્યો હતો તેની જગ્યા એ સાદુ જમણવાર રાખી ને બધાને આમંત્રિત કરી શકાય.
જે વસ્તુ મે મારી અન્ય જ્ઞાતી ના મિત્રો મા જોઈ છે અને આ ફક્ત એક જ અન્ય જ્ઞાતી ની વાત નથી એ ભલે ને મહારાસ્ટ્રીયન હોય , મદ્રાસી હોય , કેથલીક હોય કે મુસ્લીમ હોય ( મારા મિત્ર વર્તુળ મા દરેક જણ છે અને દરેક ના પ્રસંગે મને સહ્કુટુંબ આમંત્રણ મળ્યુ છે અને દરેક મિત્રો એ પ્રસંગ ને તેમની કેપેસીટી અનુસાર સાચ્વ્યો પણ છે.
તો શુ મિત્રો આપણે એટલુ ન કરી શકી એ કે જમણ્વાર નો ખોટૉ ભપકો દુર કરી ને કુટુંબ ની દરેક વ્યક્તિ તેમ સામેલ થઈ શકે તે માટે દરેક ને આમંત્રીત કરીએ ?
“અલ્પ”
Like this:
Like Loading...
Related
આપે રજુ કરેલ વિચાર ખરેખર સારો છે.
પ્રવીણ શાહ
હા.. આપનો ખર્ચ અંગેનો મેનેજમેન્ટ ફંડા આવકાર્ય છે.. આવું જો બધા જ સમજી શકે તો કેવું?