Filed under: અક્ષરો અલ્પ ના | Leave a Comment »
અપરિગ્રહ
અપરિગ્રહ…………….
જૈન ધર્મ ના શ્રાવક દ્વારા અહિંસા ની જેટલી ચર્ચા અને થાય છે અને મહ્ત્વ અપાય છે એટલી ચર્ચા અને મહત્વ અપરિગ્રહ માટે નથી થતુ એનો જવાબ બહુ જ કડવો છે. અને કદાચ કોઈ પણ વાંચક ને નહી ગમે.
થોડા સમય પહેલા અમે થોડા મિત્રો ભેગા મળ્યા ત્યારે એક ચર્ચા ચાલી અને મને સવાલ કરવામા આવ્યો કે તુ શા માટે કાંદા – બટેટા છોડી નથી દેતો ( કંદ્ મુળ ત્યાગ ) અને મે કહ્યુ કે એ મારી માટે થોડુ મુશ્કેલ છે. તો મને મારા મિત્રો કહેવા માંડ્યા કે આ મારા બહાના છે અને હુ ખરો જૈન ન કહેવાઉ. એટલે મે મારા મિત્રો ને એક સવાલ કર્યો કે જૈન ધર્મ ના બે મહત્વ ના સિદ્ધાંતો કયા તો એમણે મને કહ્યુ કે અહિંસા અને અપરિગ્રહ. એટલે મે એમને ફરી થી સવાલ કર્યો કે બન્ને નો અર્થ શુ છે તો મને કહે કે અહિંસા એટલે કોઈપણ જીવ ની હિંસા ન કરવી મે કહ્યુ અને અપરિગ્રહ નો તો કહે કે આપણી જરુરિયાતો ને ઓછી કરવી અને ન જરુરી હોય એવી ચીજો ને ભેગી ન કરવી.
હવે મે એને કહ્યુ કે સારુ હવે આપણે એક કામ કરીયે કાલ થી હુ જૈન ધર્મ ના અહિંસા વાળા એટલે કે ( કંદ્ મુળ ત્યાગ ) નુ પાલન કરુ છુ તમે લોકો નહી તો તમારા માથી એક જણ અપરિગ્રહ ના નિયમ નુ પાલન કરો. અને મને મારા સવાલ નો જવાબ મળ્યો કે ભાઈ તુ તારે કંદ્ મુળ ખાઈશ તો ચાલશે પણ અમારાર્થી અપરિગ્રહ ના નિયમ નુ પાલન નહી થાય. ઍતલે મે કહ્યુ કે આમ કેમ તો મને કહે કે યાર આ જમાના મા આવા નિયમ થોડી પળાય ?
એટલે મે અને ફરી થી સવાલ કર્યો કે ભાઈ હવે હુ શુ તુ જૈન કહી શકુ ?
અહિંસા (કદ મુળ ત્યાગ ) નો નિયમ પાળવો ઘણો સહેલો છે કારણ તેમા તો ફક્ત ખાન પાન પર કાબુ રાખવાનો છે પરંતુ અપરિગ્રહ નો નિયમ પાળવો ઘણો કઠીન છે કારણ કે એમા તો સંપુર્ણ જીવન દરમિયાન તમારી જરુરીયાતો પર કાબુ રાખવાનો છે. અને કદાચ આજ વાત મારા મિત્રો ની જેમ ઘણાને ખટકે છે અને અપરિગ્રહ ના નિયમ ને બહુ સિફત થી વિસરી જાય છે.
“અલ્પ”
Filed under: અક્ષરો અલ્પ ના | Leave a Comment »
તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…
તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન… હમણા જ દર્શીત ભાઈ નો
ઉપરેકાત લેખ વાંચ્યો, અને મન મા ફરી થી એજ સવાલ ઉભો થયો કે શુ ખરેખર આ જગત
મા ભગવાન છે ? અને છે તો પછી ક્યા છે ? મંદિર મા, મસ્જિદ મા,ગુરુદ્વારા મા કે દેવળ મા ?
અને જવાબ કદાચ તમને અને મને બધાને ખબર છે કે ભગવાન છે તો સૌના હ્રદય મા. તો
પછી આપણે સૌ મંદિર મા, મસ્જિદ મા,ગુરુદ્વારા મા કે દેવળ મા જવાની જરુર શા માટે છે ?
કારણ કદાચ એ છે કે દરેક કાર્ય માટે આપણે એક સ્થાન નક્કી કર્યુ છે જેમ કે ચાલવા માટે રસ્તા,
ફરવા માટે બગીચા,અનજ વાવવા માટે ખેતર વગેરે વગેરે જેથી કરી ને એક સરખુ કામ કરવા
માટે એક સમાન જગ્યા મળી રહે અને એમ જ કદાચ મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા કે દેવળ નુ
નિર્માણ થયુ હશે ? રહી વાત મુર્તિ પુજા ની તો એની પાછળ પણ કદાચ તર્ક એ છે કે આપણુ
મન વાંદરા જેવુ છે અને તેને એક જગ્યા ઉપર કેંદ્રિત કરવા માટે એક કેદ્ર બિંદુ ની જરુર હશે
અને માટે જ એક મુર્તિ ની સ્થાપના કરી હશે.
Filed under: અક્ષરો અલ્પ ના | Leave a Comment »
પરિવાર V/S કંપની
Filed under: અક્ષરો અલ્પ ના | Leave a Comment »
અહિંસા અને અપરીગ્રહ…..એક સવાલ
અહિંસા અને અપરીગ્રહ…..એક સવાલ ?
જૈન ધર્મ ના મુખ્ય બે સિદ્ધાંત એક છે અહિંસા અને બીજો અપરિગ્રહ. અહિંસા એટલે કે કોઇ જીવ ની હિંસા. અહિંસા માટે ની જૈન ધર્મ ની થિયરી એટલી સુક્ષ્મ છે કે જૈન ધર્મ સિવાય કોઇ ને સમજાવવુ હોય તો મુશ્કેલ થઈ જાય. આજે કોઈપણ જૈન ને પુછ્શો તો આ અહિંસા નો સિદ્ધાંત તમને સમજાવશે. મોટા ભાગ ના જૈનો ને પુછશો તો તરત કહેશે અમે તો જૈન છીયે અમે તો કાંદા, બટેટા કે અન્ય કંદમૂળ નથી ખાતા પરંતુ એજ જૈન ને તમે અપરિગ્રહ વિશે પુછશો તો એ કદાચ તમને જવાબ નહી આપી શકે.
કારણ મને ક્યારેય સમજાયુ નથી છે કોઇ મને આ સવાલ નો જવાબ આપે…………
Filed under: અક્ષરો અલ્પ ના | 1 Comment »
મારો અન્ય બ્લોગ અંગ્રેજી મા…
વાંચો મારો અન્ય બ્લોગ www.visa4allcountry.wordpress.com અંગ્રેજી ભાષા મા જ્યા તમને દરેક દેશ ના વિસા ને લગતી તથા અન્ય જાણકારી પીરસવાની કોશીશ કરીશ. ચહુ છુ કે એ બ્લોગ પણ તમને જરુર પસંદ પડશે.
Filed under: અક્ષરો અલ્પ ના | Leave a Comment »
વિચાર બદલો, નસીબ બદલાશે……
વિચાર બદલો , નસીબ બદલાશે……થોડા સ્મય પહેલા રિક્શા મા જઈ રહ્યો હતો અને આગળ ના ટેમ્પો પાછળ આ શબ્દો વાંચવા મળ્યા…Isn’t it gr8…..વિચારો શુ છે આ વિચારો , શાયદ જીંદગી નુ સ્ટીયરીંગ ? વાત પણ કદાચ સાચી જ છે આપણે જેમ વિચારિયે છીએ તેમ જ લગ્ભગ આચરણ કરીએ છીએ… અને કદાચ એટલે જ જીંદગી મા વિચારો નુ મહત્વ વધારે છે.
Filed under: અક્ષરો અલ્પ ના | Leave a Comment »
સીનીયર સીટીઝન અને ક્રાઈમ
Filed under: અક્ષરો અલ્પ ના | 2 Comments »
બાળક માટે કોણ મહ્ત્વ નુ છે ? માતા પિતા કે પછી એમના દેશ ની સરકાર ?
Filed under: અલ્પ ની કલમે | Leave a Comment »
ડોક્યુમેંટ્સ ની આત્મકથા
Filed under: અક્ષરો અલ્પ ના | 2 Comments »
