મારો અન્ય બ્લોગ અંગ્રેજી મા…

વાંચો મારો અન્ય બ્લોગ www.visa4allcountry.wordpress.com અંગ્રેજી ભાષા  મા જ્યા તમને દરેક દેશ ના વિસા ને લગતી તથા અન્ય જાણકારી પીરસવાની કોશીશ કરીશ. ચહુ છુ કે એ બ્લોગ પણ તમને જરુર પસંદ પડશે.

 

 

વિચાર બદલો, નસીબ બદલાશે……

વિચાર બદલો , નસીબ બદલાશે……થોડા સ્મય પહેલા રિક્શા મા જઈ રહ્યો હતો અને આગળ ના ટેમ્પો પાછળ આ શબ્દો  વાંચવા મળ્યા…Isn’t it gr8…..વિચારો શુ છે આ વિચારો , શાયદ જીંદગી નુ સ્ટીયરીંગ ? વાત પણ કદાચ સાચી જ છે આપણે જેમ વિચારિયે  છીએ તેમ જ લગ્ભગ આચરણ કરીએ છીએ… અને કદાચ એટલે જ જીંદગી મા વિચારો નુ મહત્વ વધારે છે.

સીનીયર સીટીઝન અને ક્રાઈમ

સીનીયર સીટીઝન અને ક્રાઈમ
સીનીયર સીટીઝન અને ક્રાઈમ આજે રોજ છાપુ ખોલિયે અને વાંચવા મળે છે કે આજે આ સીનીયર સીટીઝન ની હત્યા થઈ કે પછી આ સીનીયર સીટીઝન ને લંટી લીધા. આજે જ્યા જોઈએ ત્યા આપણ્ ને આજ ચર્ચા સંભળવા મળે છે. ત્યારે મન મા એક સવાલ એ ઉઠે છે કે આ બધા માટે જવાબદાર કોણ. સર્વ સામાન્ય મત એવો આવશે કે આ બધા માટે જવાબદાર છે પોલીસ તંત્ર. પરંતુ શુ ફક્ત પોલીસ તંત્ર જ આ માટ જવાબદાર છે કે પછી આપણી બદલાતી જતી સમાજ વ્યવસ્થા અને આપણે કે પછી સીનિયર સીટીઝન પોતે. આ લેખ મા આપણે ચર્ચા કરવી છે સીનીયર સીટીઝનસ ની જરુરીયાત વિશે તેમની સાથે થતા ક્રાઈમ ના  કારણો વિશે અને તેને રોકવા માટે આપણે શુ કરી શકીયે તેના વિશે. આ લેખ વાંચ્યા પછી હમેશા ની જેમ તમારા પ્રતીભાવ આપવાનુ ન ચુકશો.
કારણોઃ
સીનીયર સીટીઝન  સાથે ક્રાઈમ થવાનુ સૌથી મોટૂ કારણ છે આજ ની બદલાતી જતી સમાજ વ્યવસ્થા… એક સમય હતો જ્યારે આપણા દેશ મા  જોઈંટ ફેમીલી ની વ્યવસ્થા હતી હવે તો એ બીલકુલ તુટી ગઈ છે. આજે દરેક ને અલગ રહેવુ છે કાંતો એ આજની પેઢી ની  મજબુરી છે અને કાંતો તેઓ તેમના માતા પિતા ને સાચવવા નથી માંગતા (બાગબાન) અમુક વખતે કોઈ ને કોઇ કારણ સર માતા પિતા પણ તેમના સંતાનો સાથે રહેવા નથી માંગતા. આજની પેઢી ને સ્વતંત્રતા જૉઈયે છે અને તેઓ તેમની સ્વતાંત્રતા કોઇપણ ભોગે ગુમાવવા નથી માંગતા. અને થોડાઘણે અંશે આજ વિચારસરણી આજ ના સીનીયર સીટીઝનસ મા પણ આવી ગઈ છે. થેંક્સ ટુ  પશ્ચીમી વિચારસરણી ( આજે બધાને  શીખવવા મા આવે છે તમારા સંતાનો નો ભરોસો કરવો નહી કોને ખબર તેઓ તમને સાચવશે કે નહિ ) યાદ છે બાગ્બાન પીક્ચર નો એ સીન જ્યારે એક બેંક મેનેજર અમીતાભ બચ્ચન ને સલાહ આપે છે.
આજના ગ્લોબલાઇઝેશન ના જમાના મા સંતાનો ને ગમે ત્યા નોકરી કરવા જવુ પડે છે અને ઘણા કારણો સર માતાપિતા તેમની સાથે જઈ નથી શકતા ખાસ કરી ને જ્યારી સંતાનો વિદેશ કે બીજા શહેર ચાલ્યા જાય કે પછી ટ્રાંસ્ફરેબલ નોકરી મા હોય  ત્યારે, અમુક વખતે સંતાનો તેમને સાથે લઈ જઈ શકતા નથી અથવા તો લઈ જવા માંગતા નથી અને અમુક વખતે માતાપિતા તેમની સાથે રહેવા તૈયાર નથી હોતા, ખાસ કરી ને બીજા દેશ ના કે શહેર ના વાતાવરણ મા એડ્જસ્ટ ન થઈ શકવાને કારણે અથવા તો એકલતા નો ડર  સાલવે છે.  દિકરીઓ ના લગ્ન થાય અને એ સાસરે ચાલી જાય ત્યારે, કોઈ સંતાન ન હોય ત્યારે….
સીનીયર સીટીઝન  સાથે ક્રાઈમ થવાનુ બીજુ  મોટૂ કારણ છે આજે મોટા ભાગ ના સીનીયર સીટીઝનસ આર્થિક રીતે સ્વતંત્ર થવા માંડ્યા છે એટલે તેઓ પણ એકલા રહેવા નુ પસંદ કરે છે. પરંતુ ઉમર અને શારીરીક અસ્વસ્થ્તા ને કારણે તેઓ ની પાસે આર્થીક સ્વતંત્રતા હો છ્તા ઘણી બાબતો મા તેઓ એ બીજા ઉપર નિર્ભર રહેવુ પડે છે  અને નજીક ના સગાઓની ગેરહાજરી ને કારણે તેઓ પડોશી અથવા તો ઘર નોકરો ઉપર અવલંબીત થઈ જાય છે. 
સીનીયર સીટીઝનસ ની જરુરીયાતોઃ
સીનીયર સીટીઝનસ મુળભુત જરુરિયાત  છે આર્થીક સલામતી ( આજે મોટા શહેર મા રહેતા ઘણા સીનીયર સીટીઝનસ આર્થીક રિતે સલામત છે પણ ઘણા સીનીયર સીટીઝનસ ને આર્થીક સલામતી ની જરુર છે ) બીજી છે માનસીક સલામતી (તેમની એકલતા નો ઇલાજ અને ત્રિજુ છે શારીરીક સલામતી અને  હેલ્થ
સીનીયર સીટીઝન સામેના  ક્રાઈમ ઘટાડવા માટે સમાજે, પોલીસે અને સીનીયર સીટીઝનસે પોતે અમુક પગલા લેવાની જરુરી છે.
૧. સીનીયર સીટીઝનસે પોતાની જરુરિયાત લિમિટેડ કરવાની જરુરિ છે જેમ કે મોટા ઘર મા રહેતા હો તો ઘર નો અમુક ભાગ જ ઉપ્યોગ મા લેવો જેથી કરી ને બીજા ભાગ ની જાળવણી માથી બચી જવાય, બીજુ બહાર ની વ્યક્તિ ખાસ કરી ને ઘર નોકરો કે બીજી વ્યક્તિ ને બની ત્યા સુધી બધા રુમો મા એંટ્રી ન મળે. નાનુ ઘર હોય તો જાતે જાળવણી સરળ પડે.
૨. પોતાની સંપતિ જેમ કે લરક્ઝરિયસ ઇલેક્ટ્રોનીક આઈટમ્સ, ફર્નીચર, જવેરાત નુ પ્રદર્શન વગેરે કોઇપણ રુપે ન કરવુ. અને બને ત્યા સુધી ઘર મા ઝવેરાત તો રાખવુ જ નહી અને રોકડ પણ જરુર પુરતી રાખવી ( અહી ઘણા સીનીયર સીટીઝનસ ની દલીલ એવી હોય છે કે જરુર હોય તો અમારે ક્યા જવુ તો આ માટે તેઓએ થોડા ટેકનોલોજી સાથે અનુરુપ થઈ ને એ.ટી.એમ જેવી વ્યવસ્થા નો ઉપયોગ શિખવો પડશે.
૩. મેટ્રો સિટી મા ફ્લેટ સિસ્ટમ વાળા ઓ એ ખાસ કરી ને સેફ્ટી ડોર રાખવા અને અજાણ્યા ને પ્રવેશ ન આપવો. આપવો જ પડે એમ હોય તો પાડોશી ને સાથે રાખવા.( ગુજરાતી મા એક કહેવત છે કે ” પહેલો સગો પાડોશી”) તમારા પાડોશી સાથે હમેશા સાઅરા સબંધ રાખવા. નિયમિત રીતે હાઈ હેલ્લો તો કરતા જ રહેવુ ઉપરાંત તેમને જ્યારે જરુર હોય ત્યારે મદદ કરવી અહી એક વાત યાદ રાખવાની જરુર છે કે આજે દરેક વ્યક્તિ વ્યસ્ત હોય છે આથી કરી ને તેમના સમય નુ ધ્યાન રાખી ને વાતચીત ટુંકી રાખવી, આજ કાલ ના યંગ લોકો સીનીયર સીટીઝનસ ને એવોઈડ કરે છે એ પણ એક કારણ છે બીજુ આજ કાલ ની પેઢી ને શિખામણ પણ ઓછી ગમે છે એટલે બને ત્યાસુધી આજની પેઢી ને શિખામણ ઓછી આપવી.
૪. નિયમિત રીતે તમારા નજીક ના સગા સાથે ફોન ઉપર સંપર્ક રાખવો, શક્ય હોય ત્યા સુધી દર રોજ ઘર મા ઇલેક્ટ્રોનીક સર્વેલન્સ સિસ્ટમ બેસાડી શકાય ( જેમ કે ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ કે જેથી કરી ને ઇમર્જન્સી મા પડોશી ના ઘર મા એલાર્મ વાગે )
૫. ઘર નોકરો ની દરેક વિગત તમારી પાસે હોવી જરુરી છે જેમ કે નામ , એડ્રેસ, કોન્ટેક્ટ ડીટેલ્સ , ફોટો વગેરે બીજુ ઘર નોકરો સાથે બહુ સખત રીતે પણ ન વર્તવુ તેમ જ વધારે મળ્તાવડા પણ ન બનવુ. યાદ રાખો કે  દરેક ઘર નોકર ગુનેગાર નથી તેઓ પણ માણસ છે અને તેઓ પણ સન્માન ને હક્દાર છે.
૬. નિયમિત સોસાયટી મા ફરવાનુ રાખો જેથી કરી ને લોકો ના સંપર્ક મા રહી શકાય.
સીનીયર સીટીઝનસ માટે  આપણે શુ  કરી શકીયેઃ
૧. આપણી નજીક મા રહેતા દરેક સિનિયર સીટીઝન ની નાની મોટી જરુરિયાત નો ખ્યાલ રાખીયે આપણ ને સમય મળે ત્યારે તેમની સાથે થોડો સમય કાઢી ને વાત્ચીત કરી શકાય (અહિ ઘણા લોકો એ મત ના હોય છે કે તેમના સંતાનો એમની સંભાળ નથી કરતો તો આપણને  શુ ? પરંતુ આ ખ્યાલ ખોટો છે.)
૨. આપણે ત્યા ફંકશન હોય તો તેમને ઇન્વાઈટ કરવા જેથી તેમને એકલા પણુ ન લાગે.
૩. હવે આપણે ત્યા પણ બીજી એક વાત વિદેશ ની માફક કોમન થઈ ગઈ છે એ છે કે MIND YOUR OWN BUSINESS અને આને કારણે ઘણા લોકો બીજાને મદદ કરત અચકાય છે, ખાસ કરી ને જ્યારે સીનીયર સીટીઝનસ  વ્યકતિ પર ઘર ની અંદર ની વ્યક્તિ દ્વારા હેરાનગતી થતી હોય.
પોલીસ તંત્ર દ્વારા લેવાતી કાળજીઃ( અહી અપાયેલ માહિતિ http://www.mumbaipolice.org/protective/faq.asp પરથી લેવાઈ છે.
૧. એલ્ડર્લાઈન ૧૦૯૦ એક વ્યવથા મુંબઈ પોલિસ દ્વારા ભારતીય નાગરીક, ડોક્ટર્સ, હોસ્પિટલ્સ અને અન્ય સંસ્થાઓ સાથે મળી ને કરવામા આવી છે. જેનો લાભ દરેક સીનીયર સીટીઝનસ લઈ શક છે. આ એક સિમ્પલ રજીસ્ટ્રશન દ્વારા થઈ શકે છે. http://www.mumbaipolice.org/protective/Senior%20Citizens.pdf
૨. આ એક એવી વ્યવસ્થા છે કે જેમા સીનીયર સીટીઝનસ ને ઈમરજન્સી સહાય માટે ભારતીય નાગરીક, ડોક્ટર્સ, હોસ્પિટલ્સ અને અન્ય સમાજસેવી સંસ્થાઓ ના  સહયોગ દ્વારા કરવામા આવી છે, સીનીયર સીટીઝનસને જોઈતી ઇમરજંસી સેવા પુરી પાડવા મા આવે છે.
૩. પોલીસ દ્વારા સમય સર સુચનાઓ અપાતી હોય છે તે પણ ધ્યાન મા લેવી.
મિત્રો આ લેખ પર ના તમારા અભિપ્રાય આપવાનુ ન ચુકશો.
“અલ્પ”

બાળક માટે કોણ મહ્ત્વ નુ છે ? માતા પિતા કે પછી એમના દેશ ની સરકાર ?

બાળક માટે કોણ મહ્ત્વ નુ છે ? માતા પિતા કે પછી એમના દેશ ની સરકાર ? પોતાના બાળક ને કોણ બરાબર સંભાળી શકે માતા પિતા કે એમના દેશ ની સરકાર ? પોતાના બાળક ની માનસીક , શારીરીક અને અન્ય જરુરિયાત ને કોણ બરાબર સમજી શકે માતા પિતા કે એમના દેશ ની સરકાર ?

આવા તો ઘણા સવાલ મન મ ઉઠવા મંડ્યા આજે સ્ટાર ન્યુસ પર એક ભારતીય કપલ ના બે બાળક અંગે ના સમાચાર જોઈ ને…..ધી હીંદુ ન્યુસ પરનુ આર્ટીકલ અને સ્ટાર ન્યુસ જોઈ ને એવુ ફલીત થાય છે કે બાળક ને જે કારણસર માતાપિતા થી અલગ કરવામા આવ્યા છે એમા એમ જણાવવા મા આવ્યુ છે કે માતા ની માનસીક સ્થીતી બરાબર નહોતી , માતા તેના બાળક ને હાથેથી ખવરાવતી હતી ( જાણે કે આદી માનવ છરી કાંટા  સાથે જન્મ્યો હતો અને ક્યારેય હાથે થી ખાતો  નહોતો અને આજે પણ આખી દુનીયા મા બધા લોકો છરી કાંટા  થી જ ખાય છે.) બાળક માતા પિતા સાથે સુવે છે ભાઇ નાના  બાળક ની સલામતી શેમા છે માતા પિતા સાથે સુવા મા. ? મને લાગે છે કે આ આખા કેસ મા નોર્વે ની સરકાર બાળક ની મુળ્ભુત જરુરીયાત ને જ ભુલી ગયી લાગે છે. અને ખરેખર તો આ બાબત ને ફક્ત નોર્વે ની સરકાર જ નહી પરંતુ દરેક દેશ ની સરકાર ને લાગુ પડે છે. 

હા દરેક દેશ મા કાયદા ઓ બને છે  તેમના દેશ ના નાગરીક ની ભલાઈ માટે અને તેમની સલામતી માટે પરંતુ ઘણી  વખત તેનુ પાલન કરતા પહેલા ઘણી બાબતો ને સમજવા ની જરુર છે, સંજોગો ને ધ્યાન મા લેવાની જરુર છે ( આ કેસ મા નોર્વે ની સરકારે ભારતીય અને અન્ય દેશોની સંસ્ક્રુતિ ને સમજવાની અને ત્યાર બાદ નિર્ણય કરવાની ) . હવે આ જ કેસ મા આપણે જોઇએ તો આ લડાઈ બે સંસ્ક્રુતી / કાયદા  વચ્ચે ની લાગે છે. કોની સંસ્ક્રુતી મહાન છે એ પછી ની વાત છે, જ્યા સુધી બાળક ના લાલન પાલન વિશે ની વાત છે ત્યારે એ વાત તો માનવી  જ પડે કે કોઇ પણ બાળક માટે સૌથી મહત્વ ની કોઇ બાબત હોય તો તે છે તેની માનસિક અને શારીરિક  સલામતી અને તે જેટલી તેને તેના માતાપિતા તરફ થી મળશે તેટલી બીજુ  કોઈ નહી આપી શકે. 

અહિયા તો નોર્વે ની સરકાર ને એટલી વિનંતી કરવાની કે તેઓ આ કેસ મા ભારતીય સંસ્ક્રુતી ને સમજે અને બાળકો ને તેમના આતાપિતા ને સોંપી દે.

ડોક્યુમેંટ્સ ની આત્મકથા

ડોક્યુમેંટ્સ ની આત્મકથા
હુ એક મહત્વ નુ ડોક્યુમેંટ છુ કદાચ તમારા જન્મ નુ સર્ટીફીકેટ કે પછી તમારી પ્રોપર્ટી નુ એગ્રીમન્ટ. લોકો કહે છે મારુ મહત્વ તો ઘણુ છે. હુ ખોવાઈ જાઉ તો લોકો ના જીવ અધ્ધર થઈ જાય છે. કહેવાય છે કે પૈસા ખોવાઈ જાય તો મળી જાય પરંતુ હુ ખોવાઇ જાઉ તો લોકોના કામ અટકી જાય છે. અને તેમ છતા મે હમેશા માર્ક કર્યુ છે કે લોકો જેટલી સંભાળ પૈસા માટે લે છે તેટલી મારી માટે નથી લેતા. લોકો પૈસા ની સંભાળ લેવા માટે મેનેજર રાખે છે, મોટી મોટી તિજોરી રાખે છે , અમુક વખતે તો તેની માટે ખાસ સીકયોરીટી વ્યવસ્થા ઉભી કરવા મા આવે છે. પરંતુ મારી સંભાળ માટે ન તો કોઈ તિજોરી છે ન કોઈ વ્યવસ્થા કરતા નથી. અને જ્યારે હુ ખોવાઈ જાઉ કે આગ મા બળી જાઉ કે, પાણી મા ખરાબ થઈ જાઉ ત્યારે હેરાન થાય છે. ઘણી વખત લોકો એ નોકરી ખોવી પડે છે, ઘણી વખત ધંધા મા મોટૂ નુકસાન ઉઠાવવુ પડે છે , ઘણી વખત પ્રોપર્ટી ખોવી પડે છે.
જ્યારે પણ મોટી હોનારત થાય છે ત્યારે મારો નાશ થાય છે અને મારા માલીકે હેરાન થવુ પડે છે. ત્યારે તેમને થાય છે કે મે આ કાગળ માટે કોઈ વ્યવથા કરી હોત તો પરંતુ એ ઘણી વખત આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી બાબત છે. શુ મારા માલીક તરીકે તમને નથી લાગતુ કે તમારે મારી સંભાળ લેવા માટે એક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ ?
તમને કદાચ આવો સવાલ ઉભો થાય તો પણ બીજો સવાલ એ થશે કે આવી વ્યવશ્થા અમને કરી કોણ આપે તો એનો એક જવાબ છે મારી પાસે. મારી સંભાળ રાખવાની વ્યવસ્થા માટે એક વ્યક્તી પ્રયાસ કરી રહી છે અને  એમનુ નામ છે મનિશ શાહ તેઓ મારી સંભાળ માટે એક બહુ સરસ વ્યવસ્થા કરી રહ્યા છે એના વિશે હુ તમને હવે પછી જણાવીશ.

નેત્રદાન શા માટે કરવુ જોઈએ ? નેત્રદાન માટે યાદ રાખો એક નંબર ૧૯૧૯

નેત્રદાન શા માટે કરવુ જોઈએ ? નેત્રદાન માટે યાદ રાખો એક નંબર ૧૯૧૯
 
નેત્રદાન અમુલ્ય છે અને એ માટે આપણે કઈ ગુમાવવાનુ નથી. નેત્રદાન અને  મ્રુત્યુ પછી થતુ દાન છે. જે જીવન દરમીયાન નથી થતુ. પરંતુ હા એ તમારી આંખો ને હમેશા માટે જીવન આપે છે અને બે દ્રષ્ટીહિન વ્યક્તિ ને દ્રશ્ટી. જ્યારે તમારી આંખો કોઈને નથી અપાતી ત્યારે તે આંખો ના રિસર્ચ માટે વપરાય છે. આજની તારીખે ભારત મા જેટલા મ્રુત્યુ થાય છે તે દરેક વ્યક્તિ જો નેત્રદાન કરે તો ફકત ૧૫ થી ૨૦ દિવસ માજ આપણા દેશ ની દરેક વ્યક્તિ પોતાની આંખે આ વિશ્વ ને જોઈ શકે. 
 
નેત્રદાન પહેલા ની કાળજી
 
નેત્રદાન ફક્ત મ્રુત્યુ પછી જ સંભવ છે. મ્રુત્યુ બાદ ૪ થી ૬ કલાક ની અંદર નેત્રદાન થઈ જવુ જોઈએ. આ માટે તમારી નજીક ની આયબેંક અથવા ૧૯૧૯ પર સંપર્ક સાધો. ફક્ત રજીસ્ટર્ડ મેડીકલ ડોકટર્સ તમારી આંખો કાઢી શકે છે. આયબેંક ના ડોક્ટર્સ તમારા ઘરે  આવીને અથવા હોસ્પીટલ મા આવી ને આંખ લઈ જાશે. આ સંપુર્ણ પ્રક્રિયા ૨૦ થી ૩૦ મીનિટ મા પુરી થાય છે. નેત્રદાન વખતે શરીર માથી થોડુક લોહી પણ લેવા મા આવે છે (રોગ ના ટેસ્ટ માટે) નેત્રદાન થી મ્રુત વ્યક્તિ નો ચહેરો ખરાબ નથી થતો.નેત્રદાતા અને નેત્ર લેનાર વ્યક્તિ ના નામ ગુપ્ત રાખવા મા આવે છે.
 
નેત્રદાન ફક્ત મ્રુત્યુ પછી જ સંભવ છે અને તે માટે મ્રુત વ્યક્તિ ના નજીક ના સગાની મંજુરી થી નેત્રદાન થઈ શકે છે. અને જો તમારી ઇચ્છા હોય તો તમે તમારી હયાતી મા જ આ નિર્ણય લઈ શકો છો. આ માટે તમારે ફક્ત એક પ્રતિજ્ઞા પત્ર ભરવાની જરુર છે અને તે તમે આયબેંક એસોસિએસન ઓફ ઇંડીયા ને મોકલવાની તેઓ તમને પ્રતીજ્ઞા પત્ર મોકલાવશે. જો તમને આ વિશે વધારે માહિતિ કે પ્રતીજ્ઞાપત્ર કે  PLEDGE CARDS જોઈતા હોય નો અમને કોન્ટેક્ટ કરી શકો છો. મનીશ શાહ 9833462439/9773781982
 
 
 

રચનાત્મક પત્રકારિત્વ- creative journalism

રચનાત્મક પત્રકારિત્વ- creative journalism
 
હમણા હમણા ઘણી વખત સમાચાર જોતી વખતે થાય છે કે આજ ના પત્રકારત્વ ને શુ થયુ છે ? શુ તેઓ ને પણ માર્કેટીંગ નુ ભુત વળગ્યુ છે કે શુ? જ્યા જુઓ ત્યા નકારાત્મક સમાચારો ! આજે આ જગ્યા એ લૂંટ થઈ , આ જગ્યા એ ખુન થયુ , આટલા ને ભ્રશ્ટાચાર ના આરોપસર જેલ મા મોકલાયા, આજે આ જગ્યા એ કોઈ સ્ત્રી પર બળાત્કાર થયો, અહી બોંબ લાસ્ટ થયો વગેરે વગેરે ………..
 
અને તમે કોઈપણ પત્રકાર ને પુછ્શો તો કહેશે કે અમે શુ કરીએ અમે તો જે સમાજ મા અને દેશ મા બને છે તે છાપીએ છીયે…. સાચી વાત છે ભાઈ પણ આપણા સમાજ મા કે દેશ મા કોઈ સારા સમાચાર જ નથી હોતા કે જે છાપી શકાય ? હોય છે ને પણ એ સમાચાર વાંચે કોણ કે જુએ કોણ ?  અને વાંચે નહી તો વેંચાય કેવી રીતે અને જુએ નહી તો T.R.P. કેવી રીતે વધે ?
 
આપણા દેશ મા ક્રાઈમ વધવાનુ એક કારણ આ પણ નથી લાગતુ ? માનવ માત્ર ની પ્રક્રુતી છે કે જે વસ્તુ રોજ બરોજ બનતી રહે તેના કારણે તે સંવેદનશીલતા ખોઈ બેસે છે આપણા દેશ મા આટલા બોંબ બ્લાસ્ટ થાય છે પણ એની અસર આપણા ઉપર કેટલા દિવસ રહે છે ?
 
હમણા હમણા મુંબઈ મા સીનિયર સિટીઝન ના મર્ડર નો તો સિલસિલો ચાલુ થયો હતો અને અત્યારે ચેઈન ચોરો નો રાફડો ફાટ્યો છે…..મોટા ભાગ ના કેસ મા એક જ કારણ હતુ . પૈસો….અને ગુનેગાર કોણ હતા તો ૭૫ % કેસ મા ઘર નોકર અને ૨૫ % કેસ મા નજીક ના ઓળખવા વાળા….અને કેટલા કિસ્સા મા ગુનેગાર પકડાયા ? આમા વાંક પોલીસ નો નથી વાંક આપણો પણ છે પોલીસ કહી કહી ને થાકી જાય છે તમારા ત્યા કામ કરે છે તેની વિગતો તમારી પાસે રાખો અને તે વિગતો પોલીસ સ્ટેશન મા પણ આપો પણ આપણા માથી કેટલા એ આ કર્યુ. પોલીસ કહી કહી ને થાકી જાય છે કે તમે જાહેર મા ઘરેણા પહેરી ને બહાર ના નિકળો પણ સાંભળે એ બીજા પછી વાંક કોનો કાઢશે તો કે કોઈ વ્યવસ્થા જ નથી.
 
અહી એક સુચન દરેક માટે છે જ્યારે તમે ઘર નોકર રાખો છો ત્યારે આટલુ તો જરુર કરો કે તમારે ત્યા જે કામ કરે છે એનો બાયો ડેટા તમે પોતે બનાવી તેના ફોટા સાથે  તમારી પાસે રાખો,મોટા ભાગ ના કેસ મા એવુ બનતુ હોય છે કે આ ઘરકામ કરવા વાળા બહાર ગામ થી આવતા હોય છે એવા કેસ મા બીજુ એ કરી શકાય કે તેઓ જેના રેફરન્સ થી આવ્યા હોય તેનો અથવા તો કોઈ લોકલ ઓળખાણ વાળ નો બાયો ડેટ પણ રાખવો. સૌથી મહ્ત્વ ની વાત છે તેમની સાથે માન્વીય વર્તન કરવાનુ.
 
નકારાત્મક સમાચાર ને કારણે બને છે એવુ કે અમુક હદે આપણુ માનસ પણ નકારાત્મક બનતુ જાય છે. માટે સકારાત્મક પત્રકારત્વ ખુબ જ જરુરી છે. દેશ નો નાગરીક દેશ ના અંદર બનતા દરેક સારા બનાવો થી વાકેફ હશે તો તેને દેશ માટે નુ માન વધશે. 
 
ઉદાહરણ તરીકે હમણા હીન્દુસ્તાન ટાઈમ્સ મા એક મોહિમ ચલાવવા મા આવી હતી ફીટ્નેસ માટે ની, અત્યાર ના લેખ આવે છે મુંબઈ  માની ઉતમ શાળાઓ વિશે.

wish you a happy birthday…

One of my favourite actor of Bollywood. Mr. Amitabh Bachchan

Wish you a Many Many Happy Returns of the Day.

Tum jiyo hajaro saal , saal ke din ho pachaash hajar……..

હોંઠો સે છુ લો તુમ……..

મારી બે અતી પ્રિય રચના એક હોંઠો સે છુ લો તુમ અને વોહ

કાગ કી કશ્તી વો બારીશ કા પાની……….

ભગવાન જગજીતસીંગ ના આત્મા ને શાંતી અર્પે……….

 

રોજના રૂપિયા ૩૨૦૦/- બત્રીસો ખર્ચનારા આયોજન પંચના સભ્યો દ્વારા ગરીબોની ઘાતકી અને ક્રુર મજાક !!!

અરવીંદ ભાઈ નો સુંદર લેખ અહિ વાંચો………http://arvindadalja.wordpress.com/2011/09/26/રોજના-રૂપિયા-૩૨૦૦-ત્રણ-હજ/

Follow

Get every new post delivered to your Inbox.